Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

અરવલ્લીના કરણપુર તરછોડાયેલ નવજાત બાળકી મળતા સારવારમાં

અરવલ્લીઃ અરવલ્લીના કરણપુર પાસેથી નવજાત બાળકી મળી આવતા હાહાકાર મચી જવા પામ્યો હતો. ત્યારે ગ્રામજનોએ પોલીસને બોલાવીને તરછોડાયેલી નવજાત બાળકી તેમને સોંપી હતી. ત્યારબાદ પોલીસે આ બાળકીને કોટેઝ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી અપાઇ છે. જો કે આ બાળકીના માતા પિતા કોણ છે અને બાળકીને તડછોડવા પાછળનું કારણ શું છે એ હજુ સુધી જાણવા મળ્યું નથી. 

ઉલ્લેખનીય છે કે એક બાજુ સરકાર તરફથી હાલમાં 'બેટી બચાવો બેટી પઢાવો'નો કાર્યક્રમ ચલાવવામાં આવે છે. ત્યારે બાળકીને તડછોડીને જનારાઓના કિસ્સામાં પણ વધારો થતો ગયો છે. 

(8:28 pm IST)