Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

વડોદરા નજીક સમીયાલામાં તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી 2.73 લાખની મતાની ઉઠાંતરી કરી

વડોદરા:વડોદરા નજીક સમીયાલા ગામે ત્રાટકેલા તસ્કરો એક બંધ મકાનનું તાળુ તોડી તિજોરીમાંથી રોકડ રકમ તેમજ સાડા આઠ તોલા સોનાના અને ૪૩૦ ગ્રામ ચાંદીના દાગીના મળી કુલ રૃા.૨.૭૩ લાખની મત્તા ઉઠાવી ગયા હતાં. સમીયાલા ગામે પટેલ ફળીયામાં  મનુભાઇ હરમાનભાઇ પટેલ તેમના પત્ની સાથે રહે છે તેમના બે પુત્રો અલગ રહે છે તેમજ પુત્રીના લગ્ન થઇ ગયા છે.

તા.૬ની રાત્રે તેઓ નાના પુત્ર પિયુષના ઘેર કામ હોવાથી ત્યાં ગયા  બાદ ત્યાંજ રાત્રે રોકાયા હતાં. બાદમાં આજે સવારે તેમના ભત્રીજા ધુ્રવનો ફોન આવ્યો હતો કે તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે તેમજ તિજોરીઓ પણ ખુલ્લી જણાય છે જેથી મનુભાઇ તેમના પુત્ર સાથે તુરંતજ સમીયાલા પહોંચી ગયા હતાં.

ઘરમાં તપાસ કરતા ઉપર તેમજ નીચેના માળે રાખેલી તિજોરીમાંથી સોનાના ચુડા, મંગળસૂત્ર, બંગડી, વીંટ મળી ૮.૫ તોલા સોનાના દાગીના તેમજ ચાંદીના સિક્કા, છડા, લકી મળી ૪૩૦ ગ્રામ ચાંદીના ઘરેણા અને રૃા.૧૨૯૦૦ રોકડ મળી કુલ રૃા.૨.૭૩ લાખની મત્તા લૂંટી ગયા હોવાનુ જણાયુ હતું. ચોરીના આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:58 pm IST)