Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

નડિયાદ-પેટલાદ રોડ પર કારની હડફેટે રાહદારીનું સારવાર દરમિયાન મોત

નડિયાદ:નડિયાદ-પેટલાદ રોડ ઉપર ગઈકાલે રાત્રે પીપળાતા રોડ પર વેગેનાર ગાડીએ રાહદારીને ટક્કર મારતા થયેલી ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ તાલુકાના પીપળાતામાં રહેતા ભરતભાઈ રમેશભાઈ પરમાર ગઈકાલે રાત્રે રોડની સાઈડમાં ચાલતા જતા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવેલ વેગેનાર ગાડી નં. જીજે-૨૩ બી-૯૯એ પાછળથી ટક્કર મારી પાડી દીધા હતા. અક્સ્માત સર્જી કારચાલક કાર મૂકી નાસી ગયો હતો. અક્સ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ ભરતભાઈ પરમારને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે પુનમભાઈ છગનભાઈ પરમારની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:08 pm IST)