Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

સુરતના વરાછામાં જૂની અદાવતમાં ચપ્પુના ઘા મારી યુવકની હત્યા:ચપ્પાના નવ ઘા મારી બે શખ્શો ફરાર

છૂટક સાડીનો ધંધો કરતા યુવાન પર કમલપાર્ક સોસાયટીમાં જુના ઝઘડાની અદાવતમાં ચપ્પુ વડે હુમલો કરી યુવકને રહેંસી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર

સુરતના વરાછા વિસ્તારમાં છૂટક સાડીનો ધંધો કરતા યુવાન પર કમલપાર્ક સોસાયટીમાં જુના ઝઘડાની અદાવતમાં ચપ્પુ વડે હુમલો કરી યુવકને રહેંસી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર માંથી જવા પામી હતી. તો બીજી બાજુ યુવક પર હુમલો કરનાર બે વ્યક્તિ ભાગી છૂટયા હત્યા. ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત નીપજ હતું. હાલ આ બનાવમાં પોલીસે ગુનો દાખલ કરી હત્યારાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ રાજકોટના જામકંડોરણાના ધોળીધારનો વતની અને હાલ સુરતમાં વરાછા માતાવાડી વિસ્તારમાં ઈશ્વરકૃપા સોસાયટીમાં પત્ની નયના અને બાળકો સાથે રહેતો ખુશાલ કેશુભાઈ કોઠારી છૂટક સાડીનો ધંધો કરતો હતો. જ્યા ખુશાલ ગતરાત્રે 8.30 વાગ્યના અરસામાં કમલપાર્ક સોસાયટી ખાતે તુલસી પાનના ગલ્લે ઉભેલા મિત્ર કમલેશ ડાંગોદરાને ગયો હતો. ત્યારે થોડી દૂર ઊભા રહેલા કમલેશને ખુશાલે ઇશારો કરીને બોલાવ્યો હતો અને કમલેશ તેની પાસે રોડ ક્રોસ કરીને જઈ રહ્યો હતો દરમિયાન જ બાઈક ઉપર આવેલા પ્રકાશ ઉર્ફે ઓઝા અને હર્ષગામીએ બાઈક પર બેસેલા ખુશાલના શરીરે ચપ્પુ વડે આડેધડ ઘા ઝંકી દીધા હતા. અને બંને ઈસમો ભાગી છૂટ્યા હતા.ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અને લોક ટોળું એકઠું થઈ ગયું હતું.

  બીજી તરફ નજર સામે જ મિત્ર પર હુમલો થતા ગભરાયેલા કમલેશે તેના અન્ય એક મિત્ર કનુ પરમારને ફોન કરીને બોલાવ્યો હતો. તેઓ ખુશાલને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે ખુશાલની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ખુશાલના શરીરના છાતી ગળા, પેટ, અને પગના ભાગે ચપ્પુના ઘા વાગ્યા હોવાથી તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જેથી પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.

ઘટના અંગેની જાણ થતા વરાછા પોલીસનો કાફલો સ્મીમેરના હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યા પોલીસે ખુશાલની પત્ની નયનાની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ગત ડિસેમ્બર માસમાં ખુશાલ અને પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝા વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતા ખુશાલે તેને માર માર્યો હતો.જે બનાવમાં પ્રકાશએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જેથી આ જૂના ઝઘડા ની અદાવતમાં ખુશાલ પર આ હુમલો કરવામાં આવ્યો છે હાલ આ બનાવમાં પોલીસે મૃતકની પત્ની નયનાની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી હત્યારાઓને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે

(9:50 pm IST)