Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ગરુડેશ્વર તાલુકાના ઉંડવા બ્રિજની કેનાલમાંથી સગીરાનો મૃતદેહ મળતા હત્યાનો ગુનો નોંધાયો

સગીરાને ગળે ટુંપો આપી મૃતદેહના વાળ સાથે તાર સાથે પથ્થર બાંધી પાણીમાં ફેંકી દીધી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકના ઉંડવાથી સમસેરપુરા બ્રિજ તરફની કેનાલના પાણીમાંથી ૧૭ વર્ષીય સગીરનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી.
 પ્રાપ્ત માહિતી મુજબ ગરુડેશ્વર તાલુકાના ગાડકોઇ આંબા ફળીયા માં રહેતા બચુભાઈ ભયજીભાઈ તડવી નો ફરિયાદ અનુસાર તેમની દીકરી રવિના(ઉં.વ.૧૭)ને કોઈ અજાણ્યા વ્યક્તિએ ગળાના ભાગે ટુંપો આપી મોત નિપજાવી તેના મૃતદેહના માથાના વાળને  તાર સાથે પથ્થર બાંધી કેનાલના પાણીમાં ફેકી દઈ પુરાવાનો નાશ કરી ગુનો ગુનો કરતા ગરુડેશ્વર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:24 pm IST)