Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

પાદરાના મહી રિસોર્ટમાં વિદ્યાર્થીના મોત મામલે અમદાવાદની સ્કૂલને 10 હજારનો દંડ ફટકારાયો

અમદાવાદ : પાદરના મહી રિસોર્ટમાં વિદ્યાર્થીના મોત મામલે અમદાવાદની કાંકરિયામાં આવેલી દીવાન બલ્લુભાઈ સ્કૂલને DEO એ 10 હજારનો દંડ ફટકાર્યો છે

 બાળકના મોત બાદ દીવાન બલ્લુભાઈ સ્કૂલના આચાર્ય અને સ્કૂલના સંચાલકો DEO ઓફીસે હાજર થયા હતા. જ્યા તેમણે પ્રવાસ સંદર્ભે કચેરીને માત્ર જાણ કરાઈ અને પ્રવાસ માટે ઠરાવ મુજબ મંજૂરી લેવાઈ ન હોવાનું સ્વીકાર્યું હતુ. જેથી સરકારી સુચનનું પાલન ન કરતા સ્કૂલને રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

 આ ઉપરાંત DEO એ મૃતક બાળકના વાલીને વિદ્યાર્થી વીમા યોજના મુજબ મદદ કરવા આદેશ કર્યા છે. મહત્વપૂર્ણ છે કે, વિદ્યાર્થી વીમા યોજના અંતર્ગત 50 હજારનું વળતર આપવામાં આવતું હોય છે.

(1:38 pm IST)