Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

પાવર પ્લાન્ટ ક્ષેત્રની કંપની એબેલન એનર્જીમાં શ્રી પ્રશાંત પંડયાની નિયુકતી

જામનગર તા.૯: એબેલન કિલન એનર્જીમાં શ્રી પ્રશાંત પંડયાને નિયામક (વ્યુહાત્મક બાબતો) તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. ફાર્મા મેજર કલારિસ જૂથ કંપની એબેલોન, બાયોમાસ અને મ્યુનિસિપલ વેસ્ટનો ઉપયોગ કરીને પાવર પ્લાન્ટની સ્થાપના કરી રહ્યું છે. કંપની અમદાવાદ, રાજકોટ, જામનગર, વડોદરા અને સુરતમાં પાવર પ્લાન્ટ સ્થાપવાની છે. આ ઉપરાંત કંપનીએ અમરેલી, બોટાદ, અમદાવાદ, જૂનાગઢ અને ભાવનગરમાં કૃષિ વેસ્ટ આધારિત પાવર પ્લાન્ટ સ્થાપ્યાં છે.

તેઓ ૧૯૮૨માં ઇન્ફર્મેશન ડિરેકટોરેટ, ગુજરાત સરકારમાં જોડાયા અને માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, ચિમનભાઇ પટેલ, કેશુભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી જેવા મુખ્ય પ્રધાનો સાથે નજીકથી કામ કર્યું તેઓ જામનગર ખાતે ૨૦૦૪માં એસ્સાર ગ્રુપમાં જોડાયા હતા અને ૧ર મિલીયન ટન રિફાઇનરી પ્રોજેકટ શરૂ કરવામાં મહત્વના હતા. તેમણે વેલસ્પન, સિન્ટેકસ અને ઓપીજી પાવર જેવા ગ્રુપ કંપનીઓ માટે ગ્રુપ પ્રેસિડેન્ટ-કોર્પોરેટ બાબતોમાં પણ સેવા આપી હતી.(૧.૧૪)

(3:25 pm IST)