Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામમાં પાડીયાનો શિકાર કરનાર દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહત મેળવી

બે દિવસથી લટાર મારતા દીપડાએ ગામમાં એક પાડીયાને ખોરાક બનાવતા વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામમાં લટાર મારી આતંક મચાવતા દીપડાએ બે દિવસ પર ગામના યુવરાજસિંહ ભદ્રવિરસિંહ ગોહિલના ઘરના વાડામાં એક પાડીયાને ખોરાક બનાવતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો ત્યારબાદ ગ્રામજનોએ આ માટે વન વિભાગને જાણ કરતા વન વિભાગે ત્યાં પાંજરું મૂકી મારણ મુકતા ગઈકાલે ફરી ખોરાકની શોધમાં આવેલો આ દીપડો પાંજરામાં મૂકેલું મારણ ખાવા જતા પાંજરામાં કેદ થઈ ગયો હતો ત્યારે આ બાબતની જાણ સમગ્ર ગામમાં થતા દીપડાના આતંકથી ગભરાયેલા ગ્રામજનોએ રાહત મેળવી હતી.

(10:56 pm IST)