Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

અમદાવાદમાં વ્યાજખોરોની દાદાગીરી :મહિલાને પીવડાવ્યું ફિનાઈલ: જાનથી મારી નાખવા પ્રયાસ

પુત્રના આક્ષેપથી પોલીસ તપાસ શરૂ : મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ

 

અમદાવાદમાં વ્યાજખોરોએ મહિલાને ફિનાઈલ પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. પીડિત મહિલાના પૂત્રના આરોપ મુજબ સરદારનગરમાં વ્યાજખોરની દાદાગીરી કરી પઠાણી ઉઘરાણી કરતાં હતા. ઘરની સ્થિતિ સાવ ખરાબ હોવાથી રૂપિયા સમયસર પરત ન કરી શકતા મહિલાને ધાક ધમકી આપી હતી. જે બાદ આજે મહિલાને ફિનાઈલ પીવડાવ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. વ્યાજખોરે પૈસાની ઉઘરાણી કરવાની અદાવતમાં ફિનાઈલ પીવડાવી દીધું હતું.

ફિનાઇલની અસર થતાં મહિલા બે ભાન થઈ ગઈ હતી. મોઢા પરથી ફીણ નીકળી જતા મૂર્ચ્છિત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં ટ્રોમા સેન્ટર ખાતે મહિલાની સારવાર ચાલી રહી છે. પીડિત પુત્ર લગાવેલા આરોપની પોલીસ હાલ તપાસ કરી રહી છે.

ગુજરાત સરકારે જે વ્યાજ ખોરીનો કાયદો બનાવ્યો છે. એ કાયદો હોવા છતાં અમુક વ્યાજખોરોએ આજે મારી મમ્મીને એવી હાલતમાં કરી દીધી છે. અમારે સિવિલમાં દાખલ થવાનો વારો આવ્યો છે. આ મારી માં છે તેની હાલત તો જુઓ વ્યાજખોરીના લીધે ઈ લોકોએ ફિનાઈલ પીવડાવી દીધી છે મારી માતાને અમારી હાલત હવે ખરાબ થઈ ગઈ છે.

(11:06 pm IST)