Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

અંકલેશ્વરમાં શરૂ થયો અનુકરણીય પ્રયોગ :' ભૂખ્યાને ભોજન 'હેઠળ ગરીબોને મળી રહ્યું છે એક ટંકનું ભોજન

 

અંકલેશ્વરનાં રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા નિરાધાર લોકો માટે કેટલાંક સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ગરીબોને એક ટંક ભોજન પુરૂં પાડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેનો ગત રોજ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

ભૂખ્યાને ભોજન’નાં બેનર હેઠળ અંકલેશ્વરનાં પ્રતિન ચોકડી વિસ્તારમાં સેવાભાવી લોકો દ્વારા સાંજનાં સમયે ગરીબોને ભોજન મળી રહે તે માટેની સેવા પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરનાં પ્રાંત અધિકારી રમેશ ભગોરાએ આ સેવાકિય પ્રવૃત્તિનો પ્રારંભ કરાવ્યો હતો. તેમની સાથે કામદાર આગેવાન ડી.સી. સોલંકી, કોંગ્રેસનાં પ્રવક્તા નાઝુ ફડવાલા, અંકલેશ્વરનાં પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા

(9:49 pm IST)