Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

વડોદરા મનપાએ બાકી વેરો વસુલ કરવા માટે મિલકત સીલ કરવાની કામગીરી હાથ ધરી

વડોદરા: મ્યુનિ.કોર્પો.ગઇ તા.૨૭થી બાકી વેરો વસૂલ કરવા કોમર્શિયલ મિલકતોને સીલ મારવાનું શરૃ કર્યું છે. અને દશ દિવસમાં આશરે બે મિલકતો સીલ કરી છે, જેમાં અલકાપુરી વિસ્તારમાં બીપીસી રોડ પર આવેલા શ્રી મુક્ત જ્વેલર્સનો રૃા.૬૮.૬૫ લાખનો વેરો બાકી હોવાથી મિલકત કોર્પોરેશને સીલ કરી હતી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે મિલકતો સીલ કરી છે તેનો જો વેરો નહીં ભરાય તો તે કોર્પોરેશનના નામે ચડાવી દેવાશે.

કોર્પોરેશનનું વર્ષ ૨૦૧૯-૨૦ નું મિલકતોની આકારણીનું રજિસ્ટર હવે પ્રસિધ્ધ કરવામાં આવશે, તેમાં વેરો નહીં ભરેલી અને સીલ થયેલી મિલકતોમાં કમિશનરનું નામ રજિસ્ટરમાં દાખલ કરવામાં આવશે.

 

(5:59 pm IST)