Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

સુરતનાં સચીન પાલિગામમાં સોના ચાંદીની બે દુકાનમાં તસ્કરો ત્રાટક્યા

ગોરી જવેલર્સ અને વૈષ્ણવી પાયલ જવેલર્ના તાળા તોડીને સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી

સુરતનાં સચીન પાલિગામમાં તસ્કરો સોના ચાંદીની બે દુકાનમાં ત્રાટક્યા હતા અને દુકાનના તાળા તોડી દાગીના ચોરી ગયા હતા. જવેલર્સની દુકાનોમાં દાગીના રિપેરીંગનું કામ થતું હતું. ગોરી જવેલર્સમાંથી અજાણ્યા ચોરો રોકડ રૂપિયા 2000 અને 500 ગ્રામ ચાંદી લઈ ગયા હોવાનું બહાર આવ્યું છે. જ્યારે વૈષ્ણવી પાયલ જવેલર્સમાંથી 3000 રોકડા અને 6 જોડી જાંજર ચોરાયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે

   પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સચિન વિસ્તારમાં ગોરી જવેલર્સ અને વૈષ્ણવી પાયલ જવેલર્સની દુકાનો આવેલી છે. મોડી રાત્રિના સમયે તસ્કરોએ આ બે જવેલર્સની દુકાનનું શટર તોડીને દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ગોરી જવેલર્સમાંથી રોકડા રૂપિયા બે હજાર અને 500 ગ્રામ ચાંદી ચોરી કરી પલાયન થયા હતાં. તેમજ નજીકમાં આવેલી વૈષ્ણવી પાયલ જવેલર્સની દુકાનમાંથી રોકડા રૂપિયા 3000 અને 6 જોડી જાંજર ચોરાયા હોવાના પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. બંન્ને જ્વેલર્સને ત્યાંથી હજારો રૂપિયાની મત્તાની ચોરી થઈ હોવાનું જણાયું છે. દુકાનના માલિકે ચોરી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટના દુકાનની બહાર લાગલા સીસીટીવી કેમેરામાં ખેદ થતાં પોલીસે ફુટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

 

(6:13 pm IST)