Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ગુજરાતભરમાં ભાજપના સ્નેહમિલનના કાર્યક્રમો ત્રણ દિવસ માટે રદ

 

અમદાવાદ : ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી જણાવે છે કે આવતીકાલે શ્રી રામ જન્મભૂમિ -અયોધ્યા અંગે સુપ્રિમકોર્ટનો ચુકાદો આવવાનો છે ત્યારે આવતીકાલથી ત્રણ દિવસ સુધી ગુજરાતભરમાં યોજાનારા ભાજપના સ્નેહમિલન તથા અન્ય કાર્યક્રમો મુલતવી રાખવામાં આવેલ છે રાજકોટ સહીત સર્વત્ર સ્નેહમિલનના કાર્યક્રમો આથી રદ થયા છે

   શ્રી વાઘાણીએ કાર્યકરોને અપીલ કરતા જણાવ્યું હતું કે જે કઈ ચુકાદો આવે તે ચુકાદાને સ્વીકારીને ગુજરાતમાં શાંતિ,સદભાવના અને સોહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સહભાગી બનીએ ,

 

(12:08 am IST)