Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

બાર એસોસિએશન યાદી ૨૦મી સુધીમાં રજૂ કરાશે

અમદાવાદ, તા.૮ : રાજયના ૨૫૨ જેટલા જુદા જુદા વકીલમંડળો(બાર એસોસીએશન) તરફથી તાકીદે ચૂંટણી કમિશનરની નિમણૂંક કરી બાર એસોસીએશનના સભ્યોની મતદાર યાદી પ્રસિધ્ધ કરાવી અને તે મતદાર યાદીમાં કોઇપણ પ્રકારના વાંધા-સૂચનો હોય તો તે તમામ દૂર કરીને દરેક એસોસીએશનના ચૂંટણી કમિશનરે તા.૨૦મી નવેમ્બર સુધીમાં દરેક એસોસીએશનની મતદાર યાદી ગુજરાત બાર કાઉન્સીલને મોકલી આપવા બાર કાઉન્સીલના ચેરમેન સી.કે.પટેલ અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ મહત્વની તાકીદ કરી છે. સમગ્ર રાજયના વકીલમંડળ માટે મહત્વની ચૂંટણી આવતા મહિને યોજાનાર છે ત્યારે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન સી.કે.પટેલ અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, ગુજરાત બાર એસોસીએશન રૂલ્સ-૨૦૧૫ હેઠળ ગુજરાતના વકીલોના દરેક બાર એસોસીએશનો વન બાર, વન વોટ હેઠળ તા.૨૧મી ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ફરજિયાત ચૂંટણી કરવાનો આદેશ જારી કરાયો છે, જેને લઇને બાર એસોસીએશનોની ચૂંટણીલક્ષી કામગીરી હવે મહત્વના તબક્કામાં આવી પહોંચી છે.

              જેથી રાજયના ૨૫૨ જેટલા જુદા જુદા વકીલમંડળો(બાર એસોસીએશન) તરફથી તાકીદે ચૂંટણી કમિશનરની નિમણૂંક કરી બાર એસોસીએશનના સભ્યોની મતદાર યાદી પ્રસિધ્ધ કરાવી અને તે મતદાર યાદીમાં કોઇપણ પ્રકારના વાંધા-સૂચનો હોય તો તે તમામ દૂર કરીને દરેક એસોસીએશનના ચૂંટણી કમિશનરે તા.૨૦મી નવેમ્બર સુધીમાં દરેક એસોસીએશનની મતદાર યાદી ગુજરાત બાર કાઉન્સીલને મોકલી આપવાની રહેશે. ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન સી.કે.પટેલ અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, બાર કાઉન્સીલના આદેશ અનુસાર, દરેક બાર એસોસીએશનના ચૂંટણી કમિશનરે તા.૧થી ૧૦ સુધીમાં ઉમેદવારોના ફોર્મની ચકાસણીની કામગીરી પૂરી કરી તા.૨૧-૧૨-૨૦૧૯ના રોજ આખરી મતદાર યાદી મુજબ, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાવવાની રહેશે. જો કોઇપણ એસોસીએશન તરફથી જો બાર કાઉન્સીલે બહાર પાડેલ આદેશ અનુસાર ચૂંટણી પ્રક્રિયા સમયસર પૂરી કરવામાં નહી આવે અથવા તો, બાર કાઉન્સીલને જરૂરી વિગતો સમયસર નહી મોકલી અપાય તો તેવા બાર એસોસીએશનની ચૂંટણી પ્રક્રિયાને લગતી કોઇપણ ફરિયાદ કે અપીલ બાર એસોસીએશન રૂલ્સ-૪૯ હેઠળ બાર કાઉન્સીલની કમીટી હાથ પર લેશે નહી તેની નોંધ લેવી.

(9:34 pm IST)