Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

અમદાવાદમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં અચાનક પંખો ખાબક્યો : દર્દીના પતિને ઇજા

પંખા અંગેની ફરિયાદ હોસ્પિટલના તંત્રે ગણકારી નહીં અંતે નીચે ખાબક્યો

અમદાવાદમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં  સારવાર લઇ રહેલા દર્દીના સગા જ્યારે દર્દીની પાસે બેઠા હતા ત્યારે અચાનક પંખો નીચે પડ્યો હતો. આ ઘટનામાં દર્દીના સગાને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.

                અમદાવાદમાં આવેલી શારદાબેન હોસ્પિટલના મહિલા વોર્ડમાં અબરાનાબાનુ અને સંગીતા પટેલ નામની બે મહિલાઓને દાખલ કરવામાં આવી હતી, જ્યારે આ મહિલા દાખલ થઇ હતી ત્યારથી એટલે કે, ચાર દિવસથી દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ તંત્રને જણાવ્યું હતું કે, જ્યારે પંખો શરૂ કરવામાં આવે છે ત્યારે તેમાંથી આવાજ આવે છે. દર્દીના પરિવારજનોની આ વાતને હોસ્પિટલના તંત્રએ ગણકારી નહોતી અને પંખો સમયસર રીપેર ન થતા પંખો જમીન પર પડ્યો હતો.

               મહિલા વોર્ડના બેડ નંબર 15 અને 16ની વચ્ચે આવેલી પંખો પડવાની ઘટનામાં મહિલા દર્દીના પતિને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. હોસ્પિટલના તંત્રની આ પ્રકારની બેદરકારીના કારણે હોસ્પિટલમાં સારવાર લેવા માટે જતા દર્દીઓના પરિવારજનોની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે.

(11:56 pm IST)