Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

રાજ્ય સરકાર દ્વારા 34 પ્રોબેશનરી મામલતદારની નિમણુંક : રાજકોટના કુ,જ્હાનવીબા જાડેજાને જામનગર અને ચિરાગ નિમાવતને કચ્છ મુકાયા ભાવનગરના હંસરાજસિંહ ગોહિલની અમરેલીમાં નિમણુંક કરાઈ : મોટી બાણુંગારના ઉત્તમકુમાર કાનાણી અને જામનગરના જિનેશ મહેતાને રાજકોટ તેમજ જામનગરના કુ,પ્રીતિબેન મોઢવાડિયાને ભાવનગર પોસ્ટિંગ અપાયું

 અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા 34 જેટલા અજમાયશી મામલતદારોની નિમણુંક કરાઈ છે જેમાં રાજકોટના કુ, જ્હાનવીબા જાડેજાને જામનગર મુકાયા છે જયારે  ભાવનગરના હંસરાજસિંહ ગોહિલની અમરેલીમાં નિમણુંક કરાઈ છે જયારે જામનગર જિલ્લાના  મોટી બાણુંગારના ઉત્તમકુમાર કાનાણી અને જામનગરના જિનેશ મહેતાને રાજકોટ મુકાયાછે તેમજ જામનગરના કુ,પ્રીતિબેન મોઢવાડિયાને ભાવનગર પોસ્ટિંગ અપાયું છે અને રાજકોટના ચિરાગ નિમાવતને કચ્છ મુકાયાછે 

(11:40 pm IST)