Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

અમદાવાદમાં તસ્કરોનો તરખાટ : વિવિધ વિસ્તારોમાંથી 13 લાખના મુદ્દામાલની ઉઠાંતરી

અમદાવાદ:માં તસ્કરોએ કાળીચૌદસએ મુહૂર્ત કર્યા હોય એમ વિવિધ વિસ્તારમાં ચોરી કરીને તરખાટ મચાવ્યો છે. જેમાં પાલડી, સેટેલાઈટ, વાડજ અને ચાંદખેડામાં તસ્કરોએ ૧૩ લાખની માલમતાની ચોરી કરી હતી.પ્રથમ બનાવમાં પાલડીમાં એવન અર્હમ બંગ્લોઝમાં રહેતા વિજય શાહ બાવળામાં દવા બનાવવાની ફેક્ટરી ધરાવે છે. ૫ નવેમ્બરના રોજ તેઓ પરિવાર સાથે જમીને ઉંઘી ગયા હતા.દરમિયાન બીજે દિવસે શવારે તેમના પત્નીએ બંગ્લામાં ચોરી થયાનું જણાતા પતિને જાણ કરી હતી.તપાસ કરતા બેડરૃમની બારી ખુંલ્લી હતી. તેમણે કબાટ તપાસ તા તેમાંથી સોના ચાંદીના તથા હીરાજડિત દાગીના, ૬,૦૦૦ યુ.એસ.ડોલર, ૫ લાખ રોકડા મળીને કુલ રૃ. ૧૦,૧૪,૦૦૦ ની માલમતાની ચોરી થયાનું જાણ્યું હતું.આ અંગે તેમણે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:38 pm IST)