Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

સમાજ એકતા વિરોધી પરિબળોને પરાસ્ત કરીને સદ્ભાવના-સમરસતા સાથે વિજયાદશમી ઉજવીએ : વિજયભાઇ રૂપાણી

દશેરા પર્વની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી

ગાંધીનગર, તા. ૮ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે કે શકિતની આરાધનાના પર્વ અને અને વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ નવરાત્રી પછી આવતુ વિજયાદશમી પર્વ સમગ્ર ભારતમાં વિજયોત્સવ તરીકે ઉજવાય છે.

મુખ્યમંત્રીશ્રીએ વિજયાદશમીનું આ પર્વ રાષ્ટ્ર અને સમાજની એકતા તોડવા માંગતા પરિબળોને નાથીને સદ્ભાવના-સમરસતા સૌહાર્દ, આપસી પ્રેમ તથા બંધુતા અને સૌના સાથે સૌના વિકાસની નેમ પાર પાડી 'રામરાજય'ની અનુભૂતિ કરાવતું પર્વ બને તેવી અપેક્ષા પણ વ્યકત કરી છે. (૮.૧૪)

 

(3:43 pm IST)