Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

રાહુલ ગાંધી ગુજરાતમાં હિંસાની વિરુદ્ધમાં હોય તો તેની પાર્ટીના સભ્યો સામે કાર્યવાહી કરે :વિજયભાઈ રૂપાણી

ઉકેલ ટ્વીટ કરવાથી નહિ કાર્યવાહી કરવામાં છે

 

અમદાવાદ ;ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થતા હુમલા બાદ રાજકારણ ગરમાયુ છે ગુજરાત સરકારે કોંગ્રેસ પર હુમલાનો આરોપ લગાવ્યો છે જયારે કોંગ્રેસે ભાજપ સરકાર પર નિષફળતાનો આરોપ મુક્યો છે

 કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તર ભારતીયો પરના હુમલાને સંપૂર્ણ રીતે ખોટા ગણાવી વખોડી કાઢ્યા છે અને કહ્યું હતું કે હિંસાના મૂળમાં રાજ્યમાં બંધ પડેલા કારખાનાઓ અને બેરોજગારી છે બીજીતરફ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાહુલ ગાંધી પર પલટવાર કરતા કહ્યું કે જો ખેરખર રાહુલ ગાંધી ગુજરાતમાં હિંસાની વિરુદ્ધમાં હોય તો તેઓ પોતાની પાર્ટીના સભ્યો સામે કાર્યવાહી કરે જેઓએ હિંસા ભડકાવી છે ઉકેલ ટ્વીટ કરવાથી નહિ કાર્યવાહી કરવામાં છે શું તે આવું કરશે

(1:12 am IST)