Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

આદિવાસીઓ કોઈની વાતમાં આવતા નથી :સંગઠનો ભરમાવે છે :ગણપત વસાવા

આદિવાસી સંગઠનો વિરૂદ્ધ આદિવાસીઓને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે કાઢેલી ભાજપની રેલી વાંસદામા સભામાં ફેરવાઇ હતી. જેમાં આદિવાસી સંગઠનો દ્વારા આદિવાસીઓને ભરમાવતા હોવાનું જણાવી આદિવાસીઓને કોઈની વાતમાં ન આવવા અપીલ કરી હતી.

  આદિવાસી વિભાગના પ્રધાન અને આરોગ્ય પ્રધાને 17 કરોડના ખર્ચે બનનારી વાંસદા કોટેજ હોસ્પિટલનું ભૂમિ પૂજન કર્યું હતું. બાદમાં જાતિના દાખલાને લઈને ઉઠેલા વિવાદ પર મંત્રી ગણપત વસાવાએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી

  બીજી તરફ આદિવાસી સંગઠન ભીલીસ્થાન ટાઇગર સેના દ્વારા ચીખલીમાં જેડીયુના સાંસદ છોટુ વસાવાની ઉપસ્થિતિમાં આદિવાસીઓનું સંમેલન પણ યોજાયું હતુ.

(1:06 pm IST)