Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે શ્રી મુકતજીવન સ્વામીબાપાની ૧૧૧ની પ્રાગટય જયંતિ ઉજવાશે

અમદાવાદ :  શ્રી સ્વામિનારાયણ સંસ્થાન, શ્રી સ્વામિ નારાયણ મંદિર, મણિનગર ખાતે ક્રાંતિકારી યુગ દ્વારા શ્રી મુકતજીવન સ્વામીબાપાની ૧૧૧ મી પ્રાગટય જયંતિએ ત્રિદિવસીય મહોત્સવ તા. ૭-૧૦-૧૭ થી તા. ૯-૧૦-૧૮ સુધી આચાર્યશ્રી પુરૃષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં ઉજવાશે.

મહોત્સવ અંતર્ગત શ્રી મુકતજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર વિશ્વશાંતિ કેન્દ્ર ઘોડાસરનો પાટોત્સવ, સર્વપિતૃ શ્રાધ્ધ નિમિત્તે મહાપૂજા, નાતજાતના ભેદભાવ વગર યોજાશે.

મહોત્સવમાં સત્સંગ ઉર્જાના કાર્યક્રમો પર્યાવરણ રક્ષણ અંગે શિબિર, ઠેર-ઠેર વૃક્ષારોપણ વિગેરે વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.

મહોત્સવમાં દેશ-વિદેશના હરિભકતો પણ જોડાશે. (૯.૪)

(12:50 pm IST)