Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

મુખ્યમંત્રીનો સંવેદનાસ્પર્શી નિર્ણય:મહાનગરોના જર્જરિત મકાનોના સર્વે કરી ભયગ્રસ્ત મકાનો તત્કાલ ખાલી કરાવાશે

મહાનગરપાલિકાના કમિશનરોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સૂચના

અમદાવાદ : મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં જર્જરિત મકાનોના સર્વે કરીને ભયગ્રસ્ત મકાનો તત્કાલ ખાલી કરાવવાની કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરોને સૂચના આપી છે. 

વિજયભાઇ રૂપાણીએ મહાનગરોમાં આવા જર્જરિત ભયગ્રસ્ત મકાનો પડી જવાના કારણે સંભવિત દુર્ઘટનાઓ નિવારવાના સંવેદનાસ્પર્શી ભાવથી આ નિર્ણય કર્યો છે.

(7:54 pm IST)