Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ રાજીવ ગુપ્તાએ અંકલેશ્વરના ઉદ્યોગપતિઓને ગાંધીનગર બોલાવ્યા

ઔદ્યોગિક વિસ્તારના પ્રદુષણ જોયા બાદ મોટા ઉદ્યોગપતિઓને બોલાવાયા

 

અમદાવાદ :ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નવા નિમાયેલા અધ્યક્ષ રાજીવ ગુપ્તાએ  ગુજરાતના સૌથી વધારે પ્રદૂષણ ફેલાવતા અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારની મુલાકાત લીધી હતી. તેઓ પ્રદૂષણ જોઈને ચોંકી ઉઠ્યા હતા. તેથી અંકલેશ્વરના મોટા ઉદ્યોગપતિઓને ગાંધીનગર ખાતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીએ રાજીવ ગુપ્તાએ બોલાવ્યા છે.

(11:57 pm IST)