Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

સ્વામી અગ્નિવેશ અને આચાર્ય પ્રમોદ કૃષ્ણમે લીધી હાર્દિક પટેલની મુલાકાત

આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું જો ત્રણ દિવસમાં યુએકલ નહિ આવે તો સંત સમાજ કરશે આંદોલન

 

અમદાવાદ :પાસના સંયોજક હાર્દિક પટેલની મુલાકાતે આવેલા શરદ યાદવે હાર્દિક પટેલને પાણી પીવડાવીને જળત્યાગ તોડાવ્યું હતું ઉપરાંત પૂર્વ સાંસદ અને સમાજ સુધારક સ્વામી અગ્નિવેશ અને ધર્મગુરુ આચાર્ય પ્રમોદ કૃષ્ણમે હાર્દિકની મુલાકાત લીધી હતી

 . સ્વામી અગ્નિવેશે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર નીશાન સાધીને કહ્યું કે હાર્દિકની પાટીદાર સમાજ માટે અનામતની માગ યોગ્ય છે. સર્વધર્મ સંસદ હાર્દિકની સાથે છે. જ્યારે આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે જો ત્રણ દિવસમાં કંઈપણ ઉકેલ નહીં આવે તો સંત સમાજ આંદોલન કરશે.

(10:25 pm IST)