Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

અમદાવાદ :પિરાણા નજીક માટીના ઢગમાં પડી મહિલા:એસિડની અદ્રશ્ય જ્વાળાથી મહિલાનું મોત

અમદાવાદમાં આગ વગર પણ મહિલા એટલી દાઝી ગઈ કે તેનું મૃત્યું થયું. 22 જૂનના રોજ સલમાબાનો અંસારી પોતાના પતિ નિઝામુદ્દીન અંસારી સાથે સ્કૂટર પર બહાર જતા હતા ત્યારે પિરાણા નજીક અકસ્માત નડતા આ બનાવ બન્યો હતો. જે બાદ મૃતક અને ઘટનાસ્થળની ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે કે ત્યાં રહેલે માટીમાં ખૂબ જ ઝેરી પ્રકારના એસિડ મળેલા છે.

 

(11:37 am IST)