Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ગુજરાત રાજ્યના ૮૦૦ અેઆઇઅેસ ઓફિસરોને ગાંધીનગરમાં વ્‍યાજબી ભાવે હાઉસીંગ પ્લોટસ ફાળવવા વિજયભાઇ રૂપાણી સમક્ષ રજૂઆત

ગાંધીનગર- લાંબા સમય સુધી રાહ જોયા પછી હવે રાજ્યના IAS, IPS અને IFS અધિકારીઓએ મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને 800 AIS(All India Service) ઓફિસર્સને ગાંધીનગરમાં વ્યાજબી ભાવે હાઉસિંગ પ્લોટ્સ ફાળવવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે 2001માં રાજ્ય સરકારે AIS અને સ્ટેટ સર્વિસ ઓફિસર્સને પ્લોટ્સ આપાવનું બંધ કરી દીધુ હતું. AIS ઓફિસર્સ તાજેતરમાં મુખ્યમંત્રીને મળ્યા હતા અને હાઉસિંગ પ્લોટ્સ ફાળવવાની પોલિસી ફરીથી અમલમાં મુકવાની વિનંતી કરી હતી. જો કે મુદ્દો સુપ્રીમ કોર્ટનો છે, માટે રાજ્ય સરકાર માટે બાબતે કોઈ નિર્ણય લેવો મુશ્કેલ હશે.

1988ની પોલિસી અનુસાર, IAS, IPS, IFS ઓફિસર્સને 90 સ્ક્વેર મીટરથી 330 સ્ક્વેર મીટર સુધીના પ્લોટ્સ ગાંધીનગરમાં આપવાની જોગવાઈ છે. પ્લોટની સાઈઝ અધિકારીના અનુભવ અને પે સ્કેલ પર આધારિત હશે. પ્લોટ્સની કિંમત અત્યારના ભાવ અનુસાર 1 કરોડથી લઈને 5 કરોડ સુધીની હોઈ શકે.

IAS ઓફિસર અરવિંદ અગ્રવાલની આગેવાનીમાં IAS/IPS અને IFS અસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને મેમોરેન્ડમ આપવામાં આવ્યું છે. તેમાં લખવામાં આવ્યું છે કે, 1988ના ગવર્નમેન્ટ રિઝોલ્યુશન અનુસાર, નોન-ટ્રાન્સફરેબલ ઓફિસર્સ અને સરકારી કર્મચારીઓને હાઉસિંગ પ્લોટ્સ મળવા જોઈએ. જો કે 2001થી પ્લોટ્સ ફાળવવામાં નથી આવ્યા. 17 વર્ષ થઈ ગયા પરંતુ ઓફિસર્સ અને કર્મચારીઓને પ્લોટ્સ નથી મળ્યા.

પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, રાજ્યમાં અત્યારે લગભગ 200 AIS ઓફિસર્સ(IAS/IPS/IFS) કામ કરી રહ્યા છે જેમને પોલિસી અંતર્ગત લાભ નથી મળ્યા. તાજેતરમાં સરકારે સરકારી એડવોકેટ્સ અને અધિકારીઓને હાઉસિંગ પ્લોટ્સ ફાળવ્યા હતા. પરંતુ 200 AIS ઓફિસર્સ અને 600 સ્ટેટ સર્વિસ ઓફિસર્સને તેમના સાથી કર્મચારીઓની જેમ લાભ નથી મળ્યો. સારા ગવર્નન્સ અને અધિકારીઓના ગુણવત્તાસભર જીવન માટે સરકારે દિશામાં હકારાત્મક પગલા લેવાની જરુર છે.

બાબતના જાણકાર એક અધિકારીએ જણાવ્યું કે, CMO મેમોરેન્ડમ રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ ડિપાર્ટમેન્ટને સોંપ્યું છે. પોલિસીના અમલીકરણની જવાબદારી તેના અંતર્ગત આવે છે. ડિપાર્ટમેન્ટ દ્વારા CMOને જણાવવામાં આવ્યું છે કે મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પેન્ટિંગ છે.

(6:06 pm IST)