Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

રાજપીપળામાં આવનારા તહેવારોને ધ્યાને રાખી મીઠાઈ ફરસાણની દુકાનોમાં નગરપાલિકાનું આકસ્મિક ચેકીંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકા પ્રમુખની સૂચના બાદ પાલિકા ની ટીમોએ શહેર માં આવનાર તહેવારોમાં લોકોના સ્વાસ્થ્યનાં બગડે અને વાશી ફરસાણ કે મીઠાઈ નાં વેચાય તેના ભાગરૂપે શહેરની ફરસાણ મીઠાઈની દુકાનો પર તપાસ કરવા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે ટીમને સૂચના આપતા ચીફ ઓફિસર રાહુલ ઢોડિયા નાં માર્ગદર્શન હેઠળ પાલિકા નાં એસ.આઇ અને પાલિકા ટીમ દ્વારા રાજપીપળા શહેરની તમામ મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ હાથ ધરાઈ હતી  જોકે કોઈ દુકાન માથી બગડેલો કે વાસી ખોરાક મળ્યો ન હતો પરંતુ આમ સમયાંતરે અચાનક ચેકીંગથી કેટલાક લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો સાથે સાથે નગરજનોના સ્વાસ્થ્યની ચિંતા કરતાં પાલિકા પ્રમુખની આ કામગીરીને નગરજનોએ બિરદાવી પણ હતી.

(11:22 pm IST)