Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

અમદાવાદના મેમનગરમાં પત્નીની છેડતી કરનાર શખ્સના ત્રાસથી કંટાળી પતિએ આપઘાત કરતા અરેરાટી

અમદાવાદ:મેમનગરમાં રહેતા યુવકે પત્નીની છેડતી કરનારા બે ભાઈઓના ત્રાસથી કંટાળીને અડાલજ પાસે કેનાલમાં પડતુ મુકીને આપઘાત કરી લીધો હતો. મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવવા માટે બે મહિના સુધી પોલીસ સ્ટેશનોમાં રઝળપાટ કરી હતી. બાદમાં ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ કરતા અંતે ઘાટલોડીયા પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધીને બે ભાઈઓ પૈકી એકની ધરપકડ કરી હતી.

આ બનાવની વિગત મુજબ મેમનગરમાં ઠાકોરવાસમાં રહેતા મહેન્દ્રભાઈ એસ.ઠાકોરે(૨૬)૨૭ મેના રોજ અડાલજ પાસે જમીયતપુરા કેનાલમાં પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી.મહેન્દ્રભાઈની પત્ની સોનલબહેનની ફરિયાદ મુજબ તે ભક્તિનગર સોસાયટીમાં બંગલામાં ઘરકામ કરતા જતા હતા. છેલ્લા ત્રણ વર્ષથી તેમના મહોલ્લામાં ભાડેથી રહેતો ચંદન ચતુરજી ઠાકોર અવારનવાર તેનું બાઈક લઈને પીછો કરીને ઈશારા કરતો હતો. આ અંગે સોનલબહેને તેમના પતિ અને ઘરના સભ્યોને વાત કરી હતી. આથી મહેન્દ્રભાઈએ ચંદન અને તેના મોટા ભાઈ વિષ્ણુજી ઠાકોરને ઠપકો આપ્યો હતો. જેને કારણે બન્નેએ મહેન્દ્રભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. જોકે ચંદને તે વખતે હવેથી હેરાન નહી કરે એવી ખાત્રી આપતા તેમની વચ્ચે સમાધાન થયું હતું.

(5:42 pm IST)