Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

સામા પૂરે તરી ૩૭૦ નો ખાત્મો બોલાવનાર મોદી-શાહના નામો ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઇ ગયાઃ ઉદય મહુરકર

અમદાવાદઃ સામા પૂરે તરીને જમ્મુ અને કાશ્મીરને બંધારણના આર્ટિકલ ૩૭૦ ની જોગવાઇમાંથી મુકત કરાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી (@ narendramodi  અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ (@ AmitShah ) ના નામો સદૈવ માટે ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઇ ગયાનું જાણીતા પત્રકાર અને ઇન્ડિયા ટુ ડેના ડેપ્યુટી એડીટર શ્રી ઉદય મહુરકરે જણાવ્યું હતું શ્રી ઉદયભાઇએ તેમના ટવીટર હેન્ડલ ઉપર શ્રી મોદી-શ્રી શાહની અનોખા અંદાઝ વાળી તસ્વીરો ''શેર'' કરતા લખ્યું છે કે અનેક લોકો નરેન્દ્રભાઇની સરખામણી રાણા પ્રતાપ અને  છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરી રહ્યા છે. જયારે અમિતભાઇની સરખામણી સરદાર પટેલ સાથે કરી રહ્યા છે તો કેટલાક તેમને રાણા પ્રતાપ અને શિવાજી મહારજ તરીકે પણ સંબોધી રહ્યા છે. (@ UdayMahurkar)

(12:01 pm IST)