Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

મજદૂર સંઘની બેઠકમાં એસટીના ખાનગીકરણ મુદ્દો ગરમાયો :સાતમા પગાર પંચની માંગ :વિવિધ કાર્યક્રમો જાહેર

તા; 13 અને 14મીએ સુત્રોચાર અને ધરણા :21 અને 22મીએ એસટીકર્મીઓ ઘંટનાદ અને રામધૂન કરશે

બનાસકાંઠા મજદૂર સંઘે એસટી કર્મચારીની માંગણીઓને લઈ કાર્યક્રમો આપવાની જાહેરાત કરી હતી. પાલનપુર આંબેડકર હોલમાં મજદૂર યુનિયનની મિટિંગમા એસટીના ખાનગી કરણનો મુદ્દો ગરમાયો હતો

   એસટી કર્મચારીઓ 7મા પગારપંચની માંગણીને લઈ આગામી 6થી 8 તારીખમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરશે. જ્યારે આગામી 13 અને 14 તારીખે સુત્રોચ્ચર કરી ધરણા યોજશે..સાથો સાથ તારીખ 21 અને 22એ રાજ્યમાં એસટી કર્મીઓ ઘંટનાદ અને રામધૂન કરી સરકારને જગાડવાનો પ્રયત્નો કરશે.

(9:13 pm IST)