Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

નડિયાદના આખલોડમાં મકાનની દીવાલ ધરાશયી થતા શ્રમજીવીનું કમકમાટી ભર્યું મોત

નડિયાદ:તાલુકાના આખડોલ ગામના ખ્રિસ્તી મહોલ્લામાં આજે સવારે મકાનની દીવાલ ધરાશયી થતા મજૂરી કરતા શ્રમજીવીનું દબાઈ જતા મોત નીપજ્યું હતું. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ તાલુકાના આખડોલ ગામે ખ્રિસ્તી મહોલ્લામાં મકાન બાંધકામ ચાલી રહ્યું હતું. આજે સવારે વિધવાના મકાનની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક મકાનની બાજુમાં આવેલ જર્જરિત મકાનની દીવાલ કડકભૂસ થઈને ધરાશયી થઈ હતી. જેથી મજૂરી કામ કરતા મુનીર સિકંદરમીયા બેલીમ દીવાલ નીચે દટાઈ ગયો હતો. જેની જાણ થતા સ્થાનિક લોકોએ દોડી જઈ કાટમાળ ખસેડી દબાઈ ગયેલ શ્રમજીવીનો ગંભીર ઈજા થતા તુરંત જ સારવાર માટે નડિયાદ સીવીલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડો. સ્વયંપ્રકાશ પાંડેએ મુનીરમીયાં બેલમ રે. પાડગોલ (ઉંમર ૪૫ વર્ષ)ને મૃત જાહેર કર્યો હતો. 
આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી.

(5:52 pm IST)