Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ગુજરાત રાજયના ઓબીસી પંચની કાયદેસરતાને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર

પાટીદારોની ''ઓબીસી''મા સમાવિષ્ટ થવાની માંગણી અંગે વિચારણા કરવા રજૂઆત

રાજકોટ તા.૮: ગુજરાત રાજયમાં ઓબીસી પંચની કાયદેસરતાને મુદ્દે  ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવેલ છે.હાઇકોર્ટમાં કરેલી રજુઆતમાં અરજદારે જણાવ્યુ હતુ કે હાલ ગુજરાતમા ચાલી રહેલુ ઓબીસી પંચ ગેરકાયદેસર હોવાની રજૂઆત કરીને રાજય સરકાર કાયદો બનાવે અને ઓબીસી પંચને કાયદેસર કરે તેવી રજૂઆત કરી છે.અરજદારે જણાવ્યુ હતુ કે, પાટીદારોની ઓબીસીમા સમાવિષ્ટ થવાની માંગણી અંગે પણ વિચાર કરવા માંગણી કરી છે.જે મુદ્દે હાઇકોર્ટે રાજય સરકાર, સમાજ કલ્યાણ વિભાગ અને ઓબીસી કમિશનને નોટીસ ફટકારીને ખુલાસો માંગ્યો છે. તા.૨૯ સપ્ટેમ્બરથી સુનાવણી થશે.(૧૭.૧૦)

(3:54 pm IST)