Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ભરતસિંહ સોલંકીનાં દીર્ઘાયુ માટે વિસનગરમાં હવન

રાજકોટ,તા.૮:કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ભરતસિંહ સોલંકીના દીર્ઘાયુ માટે વિસનગરમાં  હવન કરાયો હતો.

જિલ્લા કોંગ્રેસ માલધારી સેલના હોદ્દેદાર દ્વારા વિસનગરના પુદગામ ગામે ધાર્મિક અસ્થાના સ્થાનક સિદ્ઘનાથ મહાદેવ મંદિરે હવન કરવામાં આવ્યો હતો.

પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાગત માન્યતા મુજબ હવન-પૂજન કરવા થી શુભ સંજોગોની આશાઓ બંધાય છે. તેમ મહેશ રાજપુતઙ્ગ - રાજકોટની યાદીમાં જણાવાયું છે.

(3:57 pm IST)