Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાના ૯૦ વર્ષના માતુશ્રીને કોરોના પોઝિટિવ આવતા ભારે ચિંતાની લાગણી : અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા : તેઓશ્રીની તબિયત એકદમ સારી : નજીકના પરિવારજનોને હોમ કોરનટાઇન કરવામાં આવ્યા : શ્રી પુરુસોત્તમભાઈ રૂપાલા દિલ્હીથી મોટર માર્ગે તુરત જ અમદાવાદ પહોંચ્યા છે તેમ જાણવા મળે છે

કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાના ૯૦ વર્ષના માતુશ્રીને કોરોના પોઝિટિવ આવતા ભારે ચિંતાની લાગણી ફેલાય છે. અમરેલી ખાતે તેઓશ્રીને પગમાં લાગી જતા ડોકટરને બતાવવા ગયેલ. નિયમ મુજબ કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતા, તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને એટ્લે તેમને તુરત અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જો કે તેઓશ્રીને કોરોનાના કોઈ લક્ષણ જોવા મળતા નથી અને તબિયત એકદમ સારી છે. તેમના નજીકના પરિવારજનોને હોમ કોરનટાઇન કરવામાં આવ્યા છે. શ્રી પુરુસોત્તમભાઈ રૂપાલા દિલ્હીથી મોટર માર્ગે તુરત જ અમદાવાદ પહોંચ્યા છે.

(10:45 pm IST)