Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

વડોદરા જિલ્લાના ડભોઇ નગરના વેપારીઓએ વધતા જતા કોરોનાને ધ્યાનમાં રાખીને બપોર પછી બજારો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય કર્યો

વડોદરા:કોરોનાના વધી રહેલા વ્યાપને જોતા વડોદરા જિલ્લાના ડભોઇ નગરના વેપારીઓએ બપોર બાદ બજારો બંધ કરવાનો સ્વૈચ્છિક નિર્ણય જાહેર કર્યો છે.

ડભોઇ મહાજન મંડળ દ્વારા વેપારીઓ તેમજ ગ્રાહકોમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે વિચારણા કરવામાં આવી હતી અને વહીવટી તંત્ર સાથે મીટીંગ કર્યા બાદ એક મહત્વનો નિર્ણય લીધો છે.

વેપારીઓએ લીધેલા નિર્ણય મુજબ બજારો સવારે 8 ખુલી જશે અને બપોરે 4 વાગે બંધ કરવામાં આવશે. જ્યારે શાકભાજી માર્કેટ સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

(5:36 pm IST)