Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

વાવના કોંગ્રેસના ધારાસભ્‍ય ગેનીબેન ઠાકોર કોરોનામાં સપડાયાઃ ધારાસભ્‍ય કવાર્ટરમાંથી સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા

ગાંધીનગર: એક પછી એક રાજકીય નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા બાદ હવે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ કોરોનામા સપડાયા છે. ગેનીબેન ગાંધીનગર સદસ્ય નિવાસમાં હોમ ક્વોરેન્ટાઈન થયા છે. શરૂઆતમાં તેઓ ઘરેથી જ કોરોનાની સારવાર લઈ રહ્યાં હતા, પરંતુ હવે ગેનીબહેનને એમએલએ ક્વાર્ટરમાંથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે તેવુ જાણવા મળ્યું છે.

ભરતસિંહ માટે આગામી 24 કલાક મહત્વના

તો બીજી તરફ, 80 વર્ષીય શંકરસિંહ વાઘેલાએ કોરોનાને હરાવ્યા છે. પરંતુ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત આજે પણ નાજુક છે. ભરતસિંહને પ્લાઝ્મા થેરાપીના બે ડોઝ અપાયા છે. જોકે, પ્લાઝ્મા થેરપી બાદ પણ તબિયતમાં કોઈ સુધારો નથી તેવું તબીબોએ જણાવ્યું. ભરતસિંહ સોલંકી માટે આગામી 24 કલાક મહત્વના બની રહેશે. 22 જૂને ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ભરતસિંહ સોલંકી અસ્થમાના પણ દર્દી છે, તેથી તેઓનું ઓક્સિજન લેવલ વારંવાર વધારવું પડી રહ્યું છે.

(4:35 pm IST)