Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત: વધુ આઠ કેસ પોઝીટીવ : કુલ કેસનોએ આંક 209 થયો

પ્રાંતિજના બે પુરુષો,હિંમતનગરની એક મહિલા,એક પુરુષ અને નિકોડાના પુરુષ, ઈડરના નવા માઠવાના યુવાન,નરસીપુરાના વૃદ્ધ અને વડાલીના પુરુષને કોરોના વળગ્યો

સાબરકાંઠા જિલ્લામાં આજે આઠ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં પ્રાંતિજમાં બે પુરૂષોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે હિંમતનગરમાં એક પુરૂષ અને મહિલાને કોરોના વળગ્યો છે અને  હિંમતનગરના નિકોડાના પુરૂષ, ઇડરના નવા માઠવા ગામે 38 વર્ષીય પુરૂષ,નરસીપુરાના 62 વર્ષિય પુરૂષ તેમજ વડાલીમાં 57 વર્ષિય પુરૂષને કોરોના અવળગયો છે આ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં 209 પોઝિટિવ કેસ નોંધાયા છે

(9:03 am IST)