Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

વલસાડના કપરાડાની દુકાનો તા.૧૭ મી સુધી સાંજના પ કલાક સુધી જ ચાલુ રહેશે

વેપારી એસોસીએશનના પ્રમુખ તેમજ દુકાનદારોની બેઠકમાં લેવાયો નિર્ણય

વલસાડઃ કપરાડા તાલુકામાં વધી રહેલા કોરોનાના કેસોને લઇ કપરાડાના વેપારી એસોસીએશનના પ્રમુખ તેમજ દુકાનદારોની બેઠક યોજાઇ હતી. વૈશ્વિક મહામારી કોરાના સંક્રમણને ધ્‍યાને રાખી વેપારી એસોસીએશનના પ્રમુખ અને દુકાનદારોએ સરકારની ગાઇડલાઇન મુજબની સુચનાઓનું ચુસ્‍તપણે અમલવારી કરવા, ગ્રાહકોને સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ જાળવવા, ફરજિયાત માસ્‍ક પહેરવા તેમજ તા.૦૭/૦૭/૨૦૨૦ થી ૧૭/૦૭/૨૦૨૦ સુધી દુકાનો સાંજના પ-૦૦ વાગ્‍યા સુધી જ ચાલુ રાખવા બાંહેધરી આપી છે. તેમ મામલતદાર કપરાડા દ્વારા જણાવાયું છે.

(10:39 pm IST)