Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ગાંધીનગર: નર્મદા કેનાલમાં ન્હાવા પડેલ વઢવાણના ત્રણ મિત્રોના મોતથી અરેરાટી

ગાંધીનગર: જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં આપઘાત અને ડુબવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલે સાંજેના સમયે શહેર નજીક આવેલા ઝુંડાલ પાસેથી નર્મદા કેનાલમાં સુરેન્દ્રનગર વઢવાણના ત્રણ યુવાનો નહાવા માટે ગયા હતા જે એક પછી એક ડુબી જતાં મોતને ભેટયા હતા. આજે તેમના મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યા હતા. ઘટના અંગે અડાલજ પોલીસ મથકમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો છેનર્મદા કેનાલ પાસેથી પસાર થઈ રહયા હતા ત્યારે તેમાં નહાવા જવાનું નક્કી કર્યું હતું. ત્રણેય યુવાનો એક પછી એક કેનાલમાં ઉતર્યા હતા અને ઉંડા પાણીમાં ડુબી ગયા હતા. મોડી રાત સુધી તેઓ પરત નહીં ફરતાં પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી

(5:32 pm IST)