Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ઠાસરા તાલુકાના પીપલવાડા ગામે અગમ્ય કારણોસર ખેત મજુરે કેરોસીન છાંટી આગ ચાંપી દેતા ચાર પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

ઠાસરા:તાલુકાના પીપલવાડાના પેટા ગામ ધારેટા ગામે એક વ્યક્તિએ અગમ્ય કારણોસર કેરોસીન છાંટીને મોતને વહાલુ કર્યુ હતુ.ખેત મજૂરી કરતા યુવકના અચાનક મોતથી તેની ચાર દિકરીઓ નિરાધાર બની છે. ત્યારે ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બનાવ અંગે ઠાસરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઇ છે.

ઠાસરા તાલુકાના પીપલવાડા તાબેના ધારેટા ગામે ૪૫ વર્ષિય ભલાભાઇ કોદરભાઇ પરમાર રહે છે. ગઇ કાલે બપોરના સમયે તેઓ ઘરે એકલા હતા તે સમયે શરીરે કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભડભડ સળગી રહેલા ભલાભાઇથીઅગ્નિની ઝાળ સહન થતા બુમાબુમ કરવા લાગ્યા હતા

પરંતુ ઘરે કોઇ હોવાને કારણે કોઇ તેમને બચાવવા આવ્યુ હતુ. પરંતુ ભલાભાઇની બૂમો સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ કેરોસીન છાટેલું હોવાના કારણે અને બચાવવા માટેના પુરતા સાઘનો હોવાને કારણે આગ ઓલવી શકયા હતા.તેથી ભલાભાઇ પરમાર બળીને ભડથુ થઇ ગયા હતા

(5:32 pm IST)