Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

આણંદ નજીક કરમસદમાં મધ્ય રાત્રીના સુમારે તસ્કરોએ ત્રણ મકાનમાં 1 લાખથી વધુની મતાની લૂંટ ચલાવી

આણંદ: પાસેના કરમસદ ગામે સંદેશર ચોકડી નજીક આવેલ એક રહેણાંક સોસાયટીમાં ગઈકાલ મધ્યરાત્રિના સુમારે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ સોસાયટીમાં આવેલ ત્રણ મકાનોને નિશાન બનાવી અંદરથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત અંદાજિત રૂા. લાખની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ વિદ્યાનગર પોલીસને થતા પોલીસની ટીમ પણ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી અને અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આણંદ પાસેના કરમસદ ગામની સંદેશર ચોકડી નજીક જગાભાઈ પાર્ક સામે નિરવ પાર્ક- નામની રહેણાંક સોસાયટી આવેલ છે. સોસાયટી ખાતે ગત મધ્યરાત્રિના સુમારે અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોઓએ રાત્રિ દરમ્યાન સોસાયટીના મકાન નં., ૧૩ અને ૨૭ને નિશાન બનાવ્યું હતું

(5:31 pm IST)