Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

અંબાજીના ત્રિશુળીયા ઘાટ અકસ્માતના મૃતકો માટે શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રી :સરકાર મૃતકોના પરિવારની પડખે

ઇજા પામેલા વ્યક્તિઓની સારવાર માટેની વ્યવસ્થા કરવા જિલ્લા તંત્ર વાહકોને સૂચના

અમદાવાદ :રાજ્યના મુખ્યમંત્રી  વિજય ભાઈ રૂપાણીએ બનાસ કાંઠાના અંબાજી નજીક થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા 10 કમનસીબ વ્યક્તિઓ પ્રત્યે ઘેરા શોક અને દુઃખ ની લાગણી વ્યક્ત કરી છે

 તેમણે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવાર જનો પ્રત્યે સંપુર્ણ સંવેદના સાથે રાજ્ય સરકાર પડખે ઉભી છે તેમ સાંત્વના પાઠવતા જણાવ્યું છે

 વિજય ભાઈ રૂપાણીએ આ અકસ્માતમાં ઇજા પામેલા વ્યક્તિઓની સારવાર માટેની વ્યવસ્થા કરવા જિલ્લા તંત્ર વાહકોને જરૂરી સૂચનાઓ આપી છે.<br

(9:00 pm IST)