Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

પંચમહાલના જાંબુઘોડા પાસે વડોદરાના પરિવારનો ઝેરી દવા પી હાઇવે પર કારમાં આપઘાત

પંચમહાલઃ જિલ્લાના જાંબુઘોડા પાસે હાઇવે પર કાર ઉભી રાખીને વડોદરાથી અહીં ફરવા આવેલા એક પરિવારના ત્રણે સભ્યોએ ઝેરી દવા પીને સામુહિત આપઘાત કરી લીધો છે. આ પરિવાર વડોદરાના આકાશવાણી પાછળ આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતો હતો.

મળી રહેલી માહિતી પ્રમાણે જાંબુઘોડાના ભાટ ગામ નજીક વડોદરાથી આવેલા એક પરિવાર કારમાં જ ઝેરી દવા પી લીધી હતી. રસ્તાની બાજુમાં કાર ઉભી રાખીને પરિવારના એક પછી એક એમ ત્રણેય સભ્યોએ ઝેરી દવા પી લીધી હતી. જેમાં ત્રણેય સભ્યોનું મોત થયું છે. મૃતકમાં માતા-પિતા અને પુત્રનો સમાવેશ થાય છે. પોલીસને કારમાંથી ઝેરની બોટલ પણ મળી આવી છે.

સામુહિક આપઘાતની જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી, તેમજ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસ આ કેસમાં વધારે તપાસ કરી રહી છે. પરિવારે કયા કારણોસર આપઘાત કર્યો છે તેની હાલ કોઈ માહિતી મળી શકી નથી.

મૃતકોના નામ

વિક્રમકુમાર અરવિંદભાઈ ત્રિવેદી (પિતા )ઉ.વ.55

હીનાબેન વિક્રમકુમાર ત્રિવેદી (પત્ની) ઉ.વ.52

હરનીલ વિક્રમકુમાર ત્રિવેદી (પુત્ર) ઉ.વ.23

મળી રહેલી માહિતી પ્રમાણે વિક્રમકુમાર અરવિંદકાંત ત્રિવેદી બુધવારે રાત્રે પોતાની કારમાં પત્ની અને પુત્ર સાથે વડોદરાથી નીકળ્યા હતા. અહીંથી તેઓ જાંબુઘોડા નજીક આવેલા ભાટ ગામ ખાતે પહોંચ્યા હતા જ્યાં કાર રસ્તાની બાજુમાં ઉભી રાખીને દવા પી લીધી હતી. મૃતક વિક્રમકુમાર વડોદરામાં કલરકામનું વ્યવસાય કરતા હોવાની માહિતી મળી છે. મૃતકનો એક ભાઈ ઓસ્ટ્રેલિયા અને બીજો ભાઈ હૈદરાબાદ રહેતો હોવાની માહિતી મળી છે.

(6:20 pm IST)