Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

નર્મદા જિલ્લામાં શુક્રવારે ૪૯ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૩૫૩૦ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૪૯ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં ગુજરાત હાઉસિંગ ૦૧, ટેકરા ફળિયા ૦૧, સોનીવાડ ૦૧, રાજપીપળા ૦૧ તથા નાદોદ તાલુકામાં પ્રતાપપરા ૦૧, વાવડી ૦૧, ખુંટા આંબા ૦૧, લાછરસ ૦૧, ધારીખેડા ૦૧, ગામકુવા ૦૧, પલસી ૦૧, જીતનગર ૦૧, ચિત્રાવાડી ૦૧, ભદામ ૦૧, ટંકારી ૦૧ તથા ગરુડેશ્વર તાલુકામાં ઝરીયા ૦૧, આમદલા ૦૧, ખડગદા ૦૧, જેતપુર ૦૧, ગરુડેશ્વર ૦૧, કેવડિયા ૦૧, નઘાતપુર ૦૧ તિલકવાડા તાલુકામાં મોરા ૦૧, સાહેબપુરા ૦૧, કેશાપુરા ૦૧, ઉમેદપુરા ૦૧, વનમાલા ૦૧,  કાટકોઇ ૦૧, ગેંગડીયા ૦૧, કલેડીયા ૦૧, ગમોડ ૦૧, તિલકવાડા ૦૧, નલિયા ૦૧, નલગામ ૦૧, બુજેઠા ૦૧ તથા ડેડીયાપાડા તાલુકામાં વાંદરી ૦૧, મોઝદા ૦૧, ચિકદા ૦૧, કુંડીઆંબા ૦૧, જામની ૦૧, ઝાંખ ૦૧, ડેડીયાપાડા ૦૧, કેવડી ૦૧, સામરપાડા ૦૧ તથા સાગબારા તાલુકામાં કાનાપાડા ૦૧, ધવલીવર ૦૧, સાગબારા ૦૧, પાનખલા ૦૧, સેલંબા ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૪૯ પોજેટિવ કેસ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૬૨ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૪૪ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૭૨ દર્દી દાખલ છે,જ્યારે આજે ૦૧ દર્દીનું મૃત્યુ થયેલ છે જ્યારે આજે ૪૫ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૩૧૮૪ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લા માં કોરોના પોઝિટિવનો કુલ આંક ૩૫૩૦ પર પહોચ્યો છે.આજે વધુ ૧૩૫૨ સેમ્પલ ચકાસણી હેઠળ છે

(1:33 pm IST)