Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ઉમરેઠ શહેરના ભરોડામાં ઘરમાં અચાનક આગ ભભૂકતા અફડાતફડી: વૃદ્ધનુ મોત

ઉમરેઠ:ના ભરોડામાં બપોરના સમયે ખ્રિસ્તીવાસના એક ઘરમાં અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગની ઝપેટમાં આવી ગયેલા એક વૃધ્ધનું સળગી જતાં મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ભરોડા ગામના ખ્રિસ્તી ફળિયામાં રહેતા મણીભાઈ લલ્લુભાઈ શાહ (ઉ. ૬૫) ઘરના આંગણે ખાટલો નાખી સુધી ગયા હતા. દરમ્યાન ખાટલા પાસે રહેલા ચૂલાની ઝોળ લાગતા આગ લાગી હતી. પંખાને લીઘે આગે ઓશીકુ અને ખાટલાને પકડી લેતાં તેઓ પણ સળગવા લાગ્યા હતા. જેને લઈને આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને પાણીનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે ગંભીર રીતે દાઝી ગયેલા મણીભાઈનું અવસાન થયું હતુ. ઘટનાની જાણ ખંભોળજ પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને આગનું કારણ સહિત અન્ય માહિતી માટે વધુ તપાસ હાથ ધરી હતી. 

 

(5:48 pm IST)