Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

તારાપુરના વલ્લીમાં સમાજના ડરથી પ્રેમી પંખીડાએ તળાવમાં મોતની છલાંગ લગાવી

તારાપુર: તાલુકાના વલ્લી ગામના તળાવમાં ભરવાડ સમાજના પ્રેમીપંખીડાએ મોતની છલાંગ લાવીને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે હાલમાં તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર વલ્લી ગામે રહેતા સાયરભાઈ ભરતભાઈ ભરવાડ (ઉ. વ. ૨૧)અને દુગારી ગામે રહેતી તેજલબેન લાખાભાઈ ભરવાડ (ઉ. વ. ૨૦)વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી પ્રેમસંબંધ પાંગર્યો હતો. બન્ને એકબીજાને ચોરી છુપીને મળીને પ્રેમસબંધને ગાઢ બનાવી રહ્યા હતા પરંતુ બન્નેના લગ્ન થાય તે અશક્ય હતું જેેને લઈને બે દિવસ પહેલાં બન્ને ઘરેથી નીકળીને લાપત્તા થઈ ગયા હતા. ત્યારબાદ આજે સવારના પોણા નવેક વાગ્યાના સુમારે વલ્લી ગામના સરપંચ કવાભાઈ ભીખુભાઈ ભરવાડને જાણ થઈ હતી કે, ગામના કનેવાલ તળાવમાં બે લાશો તરી રહી છે જેથી તેઓએ તુરંત જ ઘટનાસ્થળે પહોંચીને તારાપુર પાલીસને જાણ કરતાં પોલીસ પણ આવી ચઢી હતી અને તરવૈયાઓની મદદથી બન્ને લાશોને બહાર કાઢીને ઓળખવિધિ કરતાં સાયરભાઈ અને તેજલબેનની લાશો હોવાનુ બહાર આવ્યું હતુ. 

(5:41 pm IST)