Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

વોટ એને આપો જે તમારા બાળકને ઓક્સફોર્ડ મોકલે, નહિ કે અયોધ્યા કે કુંભઃ જીજ્ઞેશ મેવાણી

પ્રધાનમંત્રી મોદી હિન્દુ-મુસ્લિમ રાજનીતિને કારણે ગરીબ બાળકોને અયોધ્યા મોકલવા માગે છે.

 

ગુજરાતની વડગામ સીટ પરથી ધારાસભ્ય બનેલા જિગ્નેશ મેવાણીએ આમ આદમી પાર્ટીની પૂર્વીય દિલ્હી સીટના ઉમેદવાર આતિશી માટે પ્રચાર કર્યો હતો અને લોકોને અનુરોધ કર્યો હતો કે, એવા નેતાને વોટ આપો જે તમારા બાળકોને ઓક્સફોર્ડ કે કેમ્બ્રિજ યુનિવર્સિટી મોકલે, અયોધ્યા કે કુંભ નહીં. જિગ્નેશ મેવાણીએ દાવો કર્યો હતો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિન્દુ-મુસ્લિમ રાજનીતિને કારણે ગરીબ બાળકોને અયોધ્યા મોકલવા માગે છે.

  આતિશીની હાજરીમાં મેવાણીએ કહ્યું હતું કે, હું તમને જણાવવા માગું છું કે, અમે આપણી આગળની પેઢીને કુંભ કે અયોધ્યા નહીં, પરંતુ કેમ્બ્રિજ યુનિવર્સિટી કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી મોકલવા માગીએ છીએ, જ્યાં આતિશીએ અભ્યાસ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, જિગ્નેશ મેવાણી પહેલા CPM માંથી ઉભા રહેલા કન્હૈયા કુમાર માટે પણ પ્રચાર કરવા ગયા હતા. જિગ્નેશ મેવાણી કોઇપણ જગ્યાએ જાય તેઓ ભારતીય જનતા પાર્ટીની ઝાટકણી કાઢવાનું નથી ચૂકતા.

(10:09 pm IST)