Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

મરકઝના તમામ ૧૨૭ લોકોના ટેસ્ટ કરાયા....

૧૧ લોકો પોઝિટિવ આવ્યા : શિવાનંદ ઝા

અમદાવાદ, તા. ૮ :રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ  મરકઝ,નિઝામુદ્દીનમાંથી  આવેલા તબલીગી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ -૧૨૭ લોકોની ઓળખ કરાઈ છે. આ તમામ લોકોના કોરાનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે  જેમાંથી કુલ-૧૧  લોકોના  ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ સિવાયના તમામને  હાલ  કવૉરન્ટાઈન કરવામાં આવ્યા છે.  આ વિસ્તારના અન્ય લોકોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે જેથી કોરોના સંક્રમણ આગળ વધતું અટકાવી શકાય તેમ તેમણે ઉમેર્યું હતું.

(8:48 pm IST)