Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

નર્મદામાં લોકડાઉનમાં પણ બે બાળકીના અપહરણ : નાંદોદ અને સાગબારા તાલુકાની ૧૭ વર્ષની બાળકીઓને લગ્નની લાલચે યુવાનો ભગાડી ગયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ સમગ્ર દેશ કોરોના વાયરસ અને લોકડાઉનમાં અટવાયેલો છે ત્યારે મધ્યમ,ગરીબ વર્ગને જીવવું મુશ્કેલ બન્યું હોય છતાં નર્મદા જિલ્લાના નાંદોદ અને સાગબારા તાલુકા માંથી બે સગીર બળકીઓના લગ્ન ની લાલચે અપહરણ થયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના નિકોલી ગામની એક સગીર વયની બાળકીનું કાંદરોજ ગામના રાકેશભાઇ માનસિંગ વસાવા લગ્નની લાલચે અપહરણ કરી ભગાડી ગયો હોય તેને આશરો આપનાર અરૂણાબેન વસાવા અને ભગાડી જનાર રાકેશ વસાવા વિરુદ્ધ આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  જ્યારે સાગબારા તાલુકામાં બનેલી બીજી અપહરણની ઘટનામાં દૂધલીવેર ગામની સગીર બાળકી ને તેનાજ ગામનો સંજય રાયસિંગભાઈ વસાવા લગ્નની લાલચે અપહરણ કરી લઈ જતા સાગબારા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.આમ નર્મદા જિલ્લામાં લોકડાઉન જેવા સમયે પણ બે સગીર બાળકીઓના લગ્નની લાલચે અપહરણ થયા હતા.

(4:55 pm IST)