Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

રાજપીપળા નગર પાલિકા પ્રમુખે કોરોના મહામારીનો ફેલાવો ન થાય તેની તકેદારી લેતા અધિકારીઓને આભાર વ્યક્ત કરતા પત્રો પાઠવ્યા

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આપણા ભારત દેશ પર આવી પડેલ 'કોરોના' વૈશ્વિક મહામારીને પરાસ્ત કરવા માટે પ્રધાનમંત્રીના સમગ્ર દેશમાં લોકડાઉનના આહવાનને આપણાં નર્મદા જિલ્લા તેમજ રાજપીપળા નગરમાં યોગ્ય રીતે અમલમાં લાવવા વહીવટી તંત્રના અધિકારીઓમાં આરોગ્ય અધિકારી, જીલ્લા પોલીસ વડા,એપેડમિક અધિકારી, સિવિલ સર્જન,ચીફ ઓફિસર સહિતના અધકારીઓ તેમજ તેમની હેઠળ કામ કરતા સૌ અધિકારી અને કર્મચારીઓ જે રીતે સતત ૨૪ કલાક ખડે પગે રહી પ્રયત્નશીલ છે અને મહામારી નો આમ જનતામાં ફેલાવો થાય તેની તકેદારી લઈ રહયા છે સૌને રાજપીપળા નગર પાલિકા પ્રમુખ જીગીષાબેન ભટ્ટે પાલીકા સદસ્યો અને નગરજનો વતી આભાર વ્યકત કરતો પત્ર પાઠવી મહામારી માં સેવા આપતા સૌ અધિકારીઓ, કર્મચારીઓ સ્વસ્થ રહે એવી પ્રાર્થના પણ વ્યક્ત કરી હતી

(9:47 pm IST)